👉 જીલ્લા પંચાયત સદસ્ય કપિલાબેન અશ્વિનભાઈ પટેલ ના વરદ હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યો
કડી કરણનગર ગામે ભારે વરસાદ ને કારણે એક દિવાલ ધરાશયી ની ઘટના સામે આવી હતી આ ઘટના ની અંદર દિવાલ ધરાશયી થતા ત્રણ પશુઓ નો મોત નીપજ્યા હતા. ઘટના ની જાણ થતાં જ સ્થાનિક તંત્ર સક્રિય બન્યું હતું. અને ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો.
આ દીવાલ પાસે બાંધેલા પશુઓ માટી અને ઇંટોના કાટમાળ નીચે દબાઈ જતા તેમનું મોત નિપજ્યું હતું. પશુપાલક સંજયકુમાર પટેલ ને એક ભેંસ અને બે પાડીઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ કરણનગર ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમણે પ્રાથમિક અહેવાલ તૈયાર કરી પશુ ચિકિત્સક અધિકારી ને લેખેતીમાં જાણ કરી હતી.
જિલ્લા પંચાયત સદસ્ય કપિલાબેન અશ્વિનભાઈ પટેલ દ્ધારા પશુપાલક ને તાત્કાલિક સહાય મળે તે માટે જરૂરી સૂચના આપવામાં આવી હતી. અને આ પગલે કડી કરણનગર ગ્રામ પંચાયત દ્વારા પશુપાલક ના દુઃખમાં ભાગીદાર બની તેમની સાથે ખડેપગે ઉભા રહ્યા અને પશુપાલક ને આર્થિક નુકશાન થયું તેને લઈને વહીવટી તંત્ર દ્વારા પણ મદદ રૂપ બની ને આજ રોજ પશુપાલક સંજયકુમાર પટેલ ને તાલુકા પંચાયત કડી દ્ધારા અતિવૃષ્ટિ ના કારણે થયેલ પશુ મૃત્યુ સહાય રકમ 77,500 રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો જેમાં જિલ્લા પંચાયત સદસ્ય કપિલાબેન અશ્વિનભાઈ પટેલ, તાલુકા પંચાયત ના કારોબારી ચેરમેન દિલીપકુમાર ઠાકોર, પૂર્વ સરપંચ પરેશભાઈ પટેલ, કરણનગર ગ્રામ પંચાયત તલાટી પિયુષભાઈ પટેલ સહિત ના લોકો ઉપસ્થિત રહી ને પશુપાલક ના દુઃખમાં ભાગીદાર બની ને આર્થિક સહાય માં મદદ રૂપ થયા હતા.