ઈસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજની શાખા હરે કૃષ્ણ સેન્ટર, કડી દ્વારા ભગવાન શ્રી જગન્નાથજી પાવન રથયાત્રાનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
રથયાત્રા દરમિયાન સમગ્ર માર્ગ પર ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. હરિનામ સંકીર્તન, નૃત્ય અને “હરે કૃષ્ણ” મહામંત્રના ગુંજતા સ્વરોથી સમગ્ર વિસ્તાર કૃષ્ણમય બની ગયો હતો. અંદાજે ૧૦૦૦૦ જેટલા ભક્તોએ ભગવાનના રથને...