કડીમાં છેલ્લા 42 વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમીના દિવસે ભવ્ય શોભા યાત્રા નું આયોજન કરવામાં આવે છે જ્યાં આ વર્ષે એટલે કે 43માં વર્ષે 43મી રામનવમી શોભાયાત્રા નું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કડી નાની કડી વિસ્તારમાં આવેલ જગાતનાકા અયોધ્યા રામજી મંદિર ખાતેથી ભવ્યાથી ભવ્ય શ્રી રામ નવમી શોભાયાત્રા નું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જ્યાં અલગ વિસ્તારોમાં પરિભ્રમણ કરીને નિજમંદિર ખાતે પોંહચશે આજરોજ રામ નવમી તહેવારના દિવસે રામોત્સવ તરીકે સમગ્ર વિશ્વ તેમજ દેશ ઉજવી રહ્યું છે ત્યારે કડી શહેરમાં પણ રામ ભક્તો ધામધૂમ પૂર્વક ઉજવણી કરી રહ્યા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વર્ષોથી ચાલી આવતી પ્રણાલીતા મુજબ આ વર્ષે પણ રામ નવમી શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું 43મી શ્રી રામ નવમી શોભાયાત્રા નું પ્રસ્થાન નાની કડી વિસ્તારમાં આવેલ અયોધ્યા રામજી મંદિર ખાતેથી સંતો મહંતોના વરદ હસ્તે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાન રથ માં બિરાજમાન કરી આરતી ઉતારીને શોભાયાત્રા નું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું 25 થી વધુ ટેકટરોમાં અલગ અલગ વેશભૂષા તેમજ ટેબલો એ સમગ્ર શોભા યાત્રામાં આકર્ષણ જમાવ્યું હતું તેમ જ ગજરાજ, ઘોડા ડીજે, હું લારી ઢોલ નગારા વાજતે ગજતે રામલલ્લા નગરચર્યાએ નીકળ્યા હતા ભગવાનના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા રામ નવમી 43મી શોભાયાત્રા રામજી મંદિર ખાતેથી પ્રસ્થાન કરીને કોર્પોરેશન બેન્ક, શાકાર સોસાયટી,દડી સર્કલ વડવાળા હનુમાન, માર્કેટયાર્ડ રોડ, ભાગ્યોદય હોસ્પિટલ,ગાંધી ચોક, ટાવર, મંત્રી રોડ, બમ્બા ગેટ, શાકમાર્કેટ કરણપુર, કોઠારી વાસ લુહારકુઈ, નવાપુરા, તળાવ થઈ ખાખ ચોકની રામજી મંદિર ખાતે પહોંચી હતી જા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ તેમજ આવેલા અગ્રણીઓ દ્વારા ભગવાન રામચંદ્ર ની મહા આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી શોભાયાત્રા પરિભ્રમણ કરતા સમગ્ર રાજમાર્ગો જય શ્રી રામ ના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા.

હિન્દુ મુસ્લિમ એકતા નું પ્રતીક જોવા મળી.

રામનવમી શોભા યાત્રામાં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક જોવા મળ્યું હતું જ્યાં દળી સર્કલ ખાતે હિન્દુ મુસ્લિમ નું આસ્થા નું કેન્દ્ર બાલાપીર દરગાહ ટ્રસ્ટ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું બાલાપીર દરગાહના ટ્રસ્ટી તેમજ મૂજાવર દ્વારા રથમાં બિરાજમાન પ્રભુ રામચંદ્રને હાર પેરાવી શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા રથનું સ્વાગત કરવામાં આવતા હિન્દુ મુસ્લિમ એકતાનું દ્રશ્ય જોવા મળ્યું હતું