👉 અમિત શાહ ના નિવેદન ને લઇને મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું
17 ડિસેમ્બરના રોજ સંસદ ભવનમાં રાજ્યસભાની અંદર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા બાબાસાહેબ આંબેડકર વિશે એક ટિપ્પણી કરવામાં આવી હતી. જેને લઈ ને સમગ્ર રાજ્ય માં હાલ ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યા છે ત્યારે મહેસાણા જિલ્લા ના કડી તાલુકા માં પણ કોંગ્રેસ ના કાર્યકરો તથા દલિત સમાજ ના આગેવાનો સહીત મોટી સંખ્યામાં લોકો જોડાઈ ને અમિત શાહ ના નિવેદન ને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.અમિત શાહે કહ્યું, “હવે આ એક ફેશન થઈ ગઈ છે. આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર… જો આટલી વખત ભગવાનનું નામ લીધું હોત તો સ્વર્ગ મળી ગયું હોત.”અમિત શાહના સમગ્ર ભાષણના આ એક ભાગ ઉપર ભારે વિવાદ થઈ રહ્યો છે. અમિત શાહના નિવેદનની સામે કૉંગ્રેસ પાર્ટીના નેતા તથા દલિત સમાજના આગેવાનો દ્ધારા વિરોધ નોંધાવ્યો હતોઆ ટિપ્પણીને લઈને વિરોધ પક્ષ સહિત કેટલાક દલિત સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાથે સાથે અમિત શાહ માફી માંગે અને ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપે તે પ્રકારની પણ માંગણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે કડી માં દલિત સમાજ તથા કોંગ્રેસ ના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.આજ રોજ દલિત સમાજ સંગઠન દ્વારા ‘અમિત શાહ રાજીનામું આપે અને સમગ્ર દેશની માફી માંગે’ તે પ્રકારની માંગ સાથે રસ્તા પર ઉતરી નારાઓ ઊંચારી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. અંદાજિત 300 થી વધુ દલિત સમાજ સંગઠનના લોકો દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. દલિત સમાજના સંગઠનના આગેવાનો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકર અંગે જે રાજ્યસભાની અંદર ટિપ્પણી કરવામાં આવી છે તે તદ્દન અયોગ્ય છે અને તેનાથી દેશની 142 કરોડ જનતાનું અપમાન થયું છે. આથી અમિત શાહે રાજીનામું આપી દેવું જોઈએ અને સમગ્ર દેશની અને સમાજની માફી માગવી જોઈએ.કડી મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપી રાજીનામા તથા માફીની માગણી કરવામાં આવી હતી. જેમાં કડી ના મોટી સંખ્યામાં દલિત સમાજે નોંધાવ્યો હતો વિરોધ જેમાં કડીના અલગ અલગ મુખ્ય માર્ગો ઉપર રેલી યોજી મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવા ગયા હતા. અને માંગણીઓ ને સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન ચાલું રાખી શું જેવી ચીમકી આપવામાં આવી હતી.