👉 જય અંબે ગ્રુપ ના કાર્યકર્તાઓ દ્વારા સમગ્ર શોભાયાત્રા દરમ્યાન વિવિઘ સેવાઓ માં જોડાયા.

કડી માં છેલ્લા 43 વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમી ના દિવસે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ વર્ષે રામનવમી શોભાયાત્રા નું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક સંસ્થાઓ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી અને અનેક કાર્યકર્તાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

કડી કરણનગર રોડ ઉપર આવેલ ગાયત્રી મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં સમગ્ર શોભાયાત્રા કડીના અલગ અલગ મુખ્ય માર્ગો ઉપર પરિભ્રમણ થઈ હતી જેમાં આવી કાળજાળ ગરમીમાં પણ અનેક ભાઈ ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હતા જેને લઈને દરેક ભાવી ભક્તોને પાણી, શરબત કે અન્ય નાસ્તા માટે અનેક સંસ્થાના ના લોકોએ અલગ અલગ જગ્યાએ સેવા કેમ્પ યોજયા હતા. જેમાં

કડી માં આવેલ જય અંબે ગ્રુપ દ્વારા વિવિધ માર્ગો પર વિવિધ સેવાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ જય અંબે ગ્રુપના 85 થી વધુ ગ્રુપ મેમ્બરો આ શોભાયાત્રામાં સેવા માં જોડાયા હતા.

જય અંબે ગ્રુપ દ્વારા સમગ્ર શોભાયાત્રામાં બે છોટા હાથી દ્વારા પાણીના શીતલ જળનું વિતરણ કરવામાં આવ્યું ત્યારે બાદ ચા – નાસ્તો, શેરડી નો રસ, લીંબુ શરબત, તથા શોભાયાત્રામાં જોડાયેલ આશરે 2500 થી વધારે ભાવી ભક્તોનું આદર્શ હોસ્ટેલ ખાતે (જયંતીભાઈ પટેલ J.K દાદા )દ્વારા પ્રસાદનો લાભ આપવામાં આવ્યો હતો.