👉 કડી માં વિકાસ ના કામગીરી ને લઇને સવાલો ઉઠતા અધિકારીઓ ને ખખડાવ્યા

👉 કડી નગરપાલિકા ની ઝીરો કામગીરી જોવા મળી :- જગદીશ વિશ્વકર્મા

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પ્રજાજનો ના હિત માટે અનેક ગ્રાન્ટ ફાળવવા માં આવતી અને અનેક યોજનાઓ અમલ માં લાવવામાં આવતી હોય છે પરંતુ આ યોજના અને રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવેલ ગ્રાન્ટ દરેક જીલ્લા ના તાલુકા અને સાથે સાથે છેવાડા ના ગામડાં સુધી લાભ મળી રહે તે રીતે સરકાર દ્વારા યોગ્ય ગ્રાન્ટ ફાળવી ને જેતે વિસ્તાર નો વિકાસ ના કામો કરવામાં આવતા હોય છે પરંતુ જીલ્લા ની અંદર અલગ અલગ વિભાગો ની કચેરી ઓ ની બેદરકારી ને કારણે પ્રજાજનો ને પૂરતા લાભ મળતા હોતા નથી જેને લઈને અનેક વાર ઉચ્ચ કક્ષાના અધિકારીઓ જીલ્લા પ્રમાણે સંકલન સમીક્ષા બેઠક યોજી ને જેતે પેંડીગ કામો કે પેડિંગ અરજીઓ પડી રહેલ છે . તેનો યોગ્ય નિકાલ થઈ ને કામગીરી શરૂ થાય તેને અનુસંધાને જરૂરી સુચનો કે લાગતા વળગતા અઘિકારીઓ ને જરૂરી સૂચનાઓ આપવામાં આવતી હોય છે.કડી નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા વિવિઘ વિકાસ કામો ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવા અઘિકારીઓ ને તાકીદ કરતા રાજ્યના મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા ના અધ્યક્ષસ્થાને આ સમિક્ષા બેઠક યોજાઇ હતી.કડી પ્રાંત કચેરી ખાતે સહકાર, મીઠા ઉદ્યોગ, લઘુ સૂક્ષ્મ,અને મધ્યમ ઉધોગ રાજય મંત્રી અને જીલ્લા પ્રભારી મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા ના અધ્યક્ષસ્થાને અધિકારીઓ – પદાધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. અને બેઠક માં મંત્રીશ્રીએ સંબંધિત અધિકારીઓ ને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ બેઠક માં આવેલ પદાધિકારીઓ દ્ધારા અનેક જાગૃત નાગરિકો દ્વારા કડી નગરપાલીકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતાં વિકાસ ના કામો ને લઈને અનેક સવાલો ઉઠ્યા હતા. જેમાં મુખ્ય સવાલ રોડ રસ્તા ને લઈને ભારે સવાલો ઉઠ્યા હતા. બીજી તરફ ગ્રામ્ય કે શહેર વિસ્તારમાં પાણી ની સમસ્યા, ગટર લાઇન ,વરસાદી પાણી નો નિકાલ , ગંદકી જેવા અનેક સવાલ સમીક્ષા બેઠક માં ઉઠ્યા હતા અને આ સવાલો સાંભળી ને જ્યારે કડી ની અંદર સરકારી કચેરીઓ ની લાલિયાવાડી જોવા મળી હોય તેવું જોવા મળી રહ્યું છે. અને આ સમસ્યાઓ ની જલ્દી થી જલ્દી નિવારણ આવે તે માટે પ્રાંત અધિકારી અને લાગતા વળગતા કચેરીઓ ના અધિકારીઓ ને જીલ્લા પ્રભારી મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા એ જરૂરી સુચનો અને કામગીર ને લઈને જરૂરી પુરાવા માંગ્યા હતા.વધુ માં મંત્રીશ્રી એ કડી નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી, યોગ્ય રસ્તાઓ અને ગટર લાઇન જેવી સુવિધાઓ સરડતાથી મળી રહે તે મુજબની કામગીરી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત મંત્રીશ્રી એ સમગ્ર નગરપાલિકા વિસ્તારમા સ્વચ્છતા અભિયાન હાથ ધરી સમગ્ર કડી ને સ્વચ્છ શહેર બનાવવા પણ સૂચવ્યું હતું.બેઠક દરમિયાન મંત્રીશ્રીએ નગરપાલિકાના સદસ્યશ્રીઓને પોતાના વોર્ડમાં ખૂટતી સુવિધાઓ વિશેની વિગતો તૈયાર કરી તે મુજબ વિકાસના કામોની દરખાસ્ત તૈયાર કરવામાં આવે તેમ જણાવ્યું હતું. વધુમાં મંત્રીશ્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભ લોકોને સરળતાથી મળી રહે તે દિશામાં કામગીરી કરવા પણ જણાવ્યું હતું.

બેઠક અગાઉ મંત્રીશ્રી સહિત ઉપસ્થિતોએ કડીના ધારાસભ્ય સ્વ. કરસનભાઈ સોલંકીના દિવંગત આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાડ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી એસ.કે. પ્રજાપતિ, અગ્રણી શ્રી ગીરીશભાઈ રાજગોર, ડિસ્ટ્રીક બેંકના ચેરમેન શ્રી વિનોદભાઈ પટેલ, કડી પ્રાંત અધિકારીશ્રી આશિષ મિયાત્રા, જિલ્લા પંચાયત – તાલુકા પંચાયત અને નગરપાલિકાના સદસ્યશ્રીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રોડ રસ્તા, ખનીજ માફીયાઓ, વરસાદી પાણીનો નિકાલ, નર્મદા વિભાગ ની બેદરકારીઓ , માર્ગ અને મકાન વિભાગ ની ઢીલી નીતિ ની કામગીરી જેવા અનેક સવાલ સમીક્ષા બેઠક માં ઉઠ્યા હતાં.